Varishta  વરિષ્ટ
Dedicated to increasing awareness about dementia and mobilising support for those affected.

ગુજરાતીમાં ડિમેન્શિયા વિષે માહીતી મેળવવાનું એકજ સ્થાન
  • Varishta
  • Dementia
    • Alzheimers
  • Blog
  • વરિષ્ટ
  • ડિમેન્શિયા
    • અલ્ઝાઈમર્સ
    • લક્ષણોનું નિયમન
  • ગુજરાતી બ્લોગ
  • About
    • Founder
  • Contact
  • Events
  • Book

ચલો, આવકારીએ શુભ સમાચાર!

8/7/2015

0 Comments

 
લગભગ એકાદ વર્ષ સુધી રાહ જોતા, ચિંતા કરતા અને વિચારતા રહ્યા બાદ અંતે વૃદ્ધજનોને/વડીલોને ખુબ જ હેરાન પરેશાન કરતા ડિમેન્શિયા (મનોભ્રંશ) સંબંધિત પ્રશ્નોને સંબોધવાના ઉદ્દેશથી, કાર્ય-પ્રવૃત્તિ હાથ ધરવા માટે આપણે એક બિનનફાકારક કંપની રજીસ્ટર કરાવી શક્યા છીએ.

'સિલ્વર સ્માઈલ એલ્ડર કેર ફાઉન્ડેશન'ના નામથી આ કંપની રજીસ્ટર કરાવવામાં આવી છે.

આ કંપનીનો મુખ્ય ઉદ્દેશ 'ડિમેન્શિયા' તરીકે ઓળખાતા મનોરોગ બાબતે વૃધ્ધ્જનોમાં તેમજ સમાજમાં જાગૃતિ જગાવવાનો તથા તેનાથી પીડાતા વડીલોને 'વરિષ્ઠ'ના નામ હેઠળ  સહયોગ પૂરો પાડવાનો રહેશે.

આવી કાર્ય-પહેલને વેગવંતી બનાવવા માટે આપણે આર્થિક ભંડોળથી લઈને સલાહ-સૂચનો તેમજ પરિચય તથા સહયોગી કાર્યકરોની આવશ્યકતા રહેશે. મને ખાત્રી છે કે, આવા સામાજ-ઉપયોગી પ્રયત્નોમાં આપનો સહયોગ અમૂલ્ય સાબિત થશે.

વધુ માહિતી મેળવવા માટે મહેરબાની કરીને અમારી વેબસાઈટ, 'www.varishta.org'ના માધ્યમ દ્વારા અમારો સંપર્ક સાધવા આપને નમ્ર વિનંતી છે. જો આપ દાન પૂરું પાડવાની ઈચ્છા ધરાવતા હોવ તો તે મોકલવા માટેની જરૂરી માહિતી પણ આપ અત્રેથી મેળવી શકશો.

પ્રસ્તાવિત કાર્ય-પ્રવૃત્તિઓ

Picture

શા માટે; 'વરિષ્ઠ' ?

મને ગમતા એવા કોઈ પણ અન્ય નામથી હું કંપની રજીસ્ટર કરાવી શકતી ન હતી તેમજ નિરાશાની  એક ચોક્કસ ક્ષણે હું કોઈ પણ નામ સ્વીકારી લેવા તૈયાર થઇ ગઈ હતી કે જેથી કરીને હું કાર્યનો મંગલ પ્રારંભ કરી શકું. અંતે 'સિલ્વર સ્માઈલ એલ્ડર કેર ફાઉન્ડેશન' એવું નામ પસંદ કરીને કંપની રજીસ્ટર કરાવવા માટે અમે આગળ વધ્યા હતા, પરંતુ તે નામ ખુબ લાંબુલચક લાગતું હતું અને તેથી અંતે અમે સહેલાઈથી યાદ રહેશે અને અર્થ સભર બની રહેશે તેમ માનીને 'વરિષ્ઠ' એવું નામ પસંદ કરીને તેના નેજા હેઠળ સૂચિત કાર્ય-પ્રવૃત્તિઓ હાથ ધરવાનું નક્કી કર્યું છે.

મારે એ પણ જણાવવું અને સ્વીકારવું જ જોઈએ કે કંપની રજીસ્ટર કરાવવા માટેનું આ કામ જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને સોપવામાં આવ્યું હતું તેમને આપણા આ ઉદ્દેશોની કે આપણા સમયની કોઈ જ કદર ન હતી, આ કામ માટેની સાચી કાર્ય-પ્રક્રિયા બાબતે તેમજ એક કંપની રજીસ્ટર કરાવવા માટે 'રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ'ની કચેરીની જરૂરીયાતો અંગે પણ તેમને બહુ જ ઉપરછલ્લું જ્ઞાન હતું તેમજ નૈતિક મુલ્યો બાબતે પણ ખાસ કોઈ આદર-ભાવ ના હતો. તેવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા મને સતત આશ્વાસન આપવામાં આવતા હતા જેના ઉપર આધાર રાખીને મેં એક વર્ષ પસાર તો શું કર્યું હતું, વેડફી નાખ્યું હતું. અંતે, મારે, તેમને એક કોરાણે મુકીને મેં અન્ય એક વ્યાવસાયિક ચાર્ટર્ડ સેક્રેટરીની સેવાઓ મેળવીને આ કંપનીની નોંધણી કરાવી પડી. હું એટલું જ માનું છું કે જો આ કામ મેં પહેલેથી મારા પોતાના હાથમાં લઈને જાતે જ હાથ ધાર્યું હોત તો ખુબ સારું થાત !!!

જો કે, તે હવે ભૂતકાળની વાત છે અને હવે મેં મારી નજર હવે પછીના ભવિષ્યના લક્ષ્ય ઉપર તાકેલી  છે.

મારે આપની અગણિત શુભેચ્છાઓની ખુબ જ જરૂર છે. મારા આ પથ ઉપર આપ મારી આ યાત્રામાં  મારી સાથે જોડાશો તેવી મને આશા છે.
0 Comments

હોસ્પિટલ અને ડિમેન્શિયા

18/10/2014

0 Comments

 
Picture
ડિમેન્શિયા વાળી વ્યક્તિને જો  હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે તો ઘણી  તકલીફો ઉભી થાય છે. હોસ્પિટલો, નર્સિંગ હોમમાં આવી વ્યક્તિની ખાસ જરૂરિયાતો ને ધ્યાન આપવાની સગવડ હોતી નથી. સ્ટાફને અનેક વાર સમઝાવવા તથા  ખાસ સૂચનો વારંવાર આપવા છતાં આ તકલીફ રહે છે એવું ઘણાનનું કહેવું છે.

જે વ્યક્તિ ડિમેન્શિયાના કારણે  આજે શું જમ્યા અથવા આજે શું તારીખ છે તે કહી નથી શકતા તેમના પાસેથી મેડીકલ પ્રોફેશનલ તેમની કેસ હીસટરી થ્થે બીમારીના લક્ષણ પૂછવાનો આગ્રહ રાખે છે. અને તેઓ તેમને નોર્મલ વ્યક્તીને સુચના આપે તેમ આપે છે.

ઇંગ્લેન્ડમાં હોસ્પિટલો માં ડિમેન્શિયા વાળા  લોકો માટે કાળજીનું  સ્તર એક નવા રીપોર્ટમાં 'પુવર', એવું વર્ણવ્વામાં આવ્યું છે. એક લેખ આ મુદ્દાઓ ચર્ચા કરે છે. તેમાં ધ્યાનમાં આવ્યું છે કે ડિમેન્શિયા વાળી  વ્યક્તિઓ ઘણીવાર ખોરાક વગર રહી જાય છે, તેઓ પોતાની જરૂરિયાતો વિષે વાત કરી શકતા નથી તેથી કોઈ પીડા થતી હોય, દુખતું હોય તો કહી નથી શકતા. સ્ટાફ દર્દીઓની જરૂરિયાતો સમઝતા નથી અથવા તેમની જરૂરિયાતોના  જે સંકેત છે, જેવા કે, વર્તનમાં ફેરફાર, મુડમાં ફેર, તે પરખી શકતા નથી. જે માહિતી મળે છે તે જુદી જુદી સેવા આપનારમાં શેર કરવામાં આવતી નથી.

ભારતમાં મેડિકલ અને હોસ્પિટલ સેવાઓ હજુ પણ ડિમેન્શિયા વાળી વ્યક્તિને અન્ય દર્દીઓની જેમજ  સારવાર કરવામાં આવે છે. આ સેવાઓને ડિમેન્શિયા મૈત્રીપૂર્ણ બનાવવા માટે આપણે સૌએ આગળ થવું પડશે. માર્ગ ઘણો લાંબો છે.


0 Comments

 ડિમેન્શિયા અને વિટામિન ડી 

15/10/2014

0 Comments

 
Picture
ડિમેન્શિયાનું કારણ અલ્ઝાઇમર્સ તથા અન્ય મગજના રોગો હોય છે. વૃદ્ધજનોમાં વિટામિન ડીની ઉણપ આ રોગો સાથે સંકળાયેલ છે. વિટામિન ડીની ઉણપના કારણે લોહી લઈ જનારી નલિકાઓ નિષ્ક્રિય બને છે અને મગજના કોશ જીર્ણ થયી શકે છે. એક ચિલીમાં થયેલ પ્રયોગમાં જણાયું હતું કે વિટામિન ડી નું પ્રમાણ વધવાથી વૃદ્ધજનોમાં સંતુલન અને હરવા ફરવામાં  સુધારો જોવા મળે છે.

આજની તારીખમાં હજુ પણ અલ્ઝાઇમર્સ શા કારણ થી થાય છે તે ખરેખર આપણને ખબર નથી. તેમ છતાં, આવા સંશોધનના પરિણામો પર ધ્યાન આપવું જોઈએ. વિટામિન ડીની ખામીનો ઉપાય મોટા ભાગે સરળતાથી હલ કરી શકાય છે.

પૂરતો સૂર્યપ્રકાશ મેળવવો મહત્વનું છે. દિવસમાં એક વાર બહાર ટહેલવા નીકળવાથી પૂરતો સૂર્યપ્રકાશ પ્રાપ્ત થયી શકે છે. ઘણી વાર વૃદ્ધ જનો શારીરિક તકલીફો ને કારણે ઘરની અંદરજ   રહે છે અને તેમને પુરતો સૂર્ય પ્રકાશ તથા કસરત મળતી નથી. આવા સંજોગોમાં ડૉક્ટરની સલાહ લઇ વિટામિન ડી સપ્લીમેન્ટ આપી શકાય જે આ પરિસ્થિતિમાં મદદ કરી શકે છે.

(આ ગુજરાતી અનુવાદમાં મેડીકલ ટર્મ્સ જોવા માટે આ બ્લોગ અંગ્રેજીમાં વાંચો) 

0 Comments

ડિમેન્શિયા વિષે ગુજરાતીમાં અને હિન્દીમાં જાણો

7/2/2014

0 Comments

 
શું તમે ડિમેન્શિયા વાળી વ્યક્તિની સંભાળ લઈ રહ્યા છો? શું તમે ડિમેન્શિયા વિષે વધારે જાણવા ઈચ્છો છો? હવે ગુજરાતી તથા હિન્દીમાં તમે ડિમેન્શિયા વિષે વધુ જાણકારી મેળવી શકો છો. બેંગ્લોરમાં રહેતા, સ્વપ્ના કિશોરે ડિમેન્શિયા વિષે હિન્દીમાં સુંદર રીતે વેબસાઈટ બનાવી છે. તેમાં ડિમેન્શિયા વિષે ઘણી વાતો કરી છે, અને ઘણા જોવા જેવા વીડિઓ પણ છે. તેની સાઈટ નું નામ છે dementiahindi.com

બીજી સાઈટ જેમાં હિન્દીમાં ડિમેન્શિયા વિષે જાણવા મળી શકે તે છે oldagesolutions.org

ગુજરાતીમાં માહિતી મેળવવાનું બીજું ઓનલાઈન સ્થળ છે alzheimers.org.uk જ્યાંથી  તમે pdf રૂપે જાણકારી વાળી ફાઈલ ડાઉનલોડ કરી શકો છો.

હું પણ ધીમે ધીમે ગુજરાતીમાં વધારે જાણકારી આપવાનો પ્રયત્ન કરી રહી છું. મિત્રો તથા શુભેચ્છકોની મદદથી કાર્ય આગળ વધી રહ્યું છે.
 
Picture
0 Comments

બેંગ્લોરમાં ડિમેન્શિયા પદયાત્રા

23/9/2013

0 Comments

 
બેંગ્લોરની નાયટીંગેલ્સ સંસ્થા વડીલોની સેવામાં સરસ કામ કરી રહી છે. હાલમાં તેમને કોલાર થી બેંગ્લોર સુધી પદયાત્રા કરી. પદયાત્રાનો ઉદેશ ડિમેન્શિયા વિષે જાગૃતતા લાવવાનો હતો. બીજા રાજ્યો અને શહેરોમાં આવી જાગૃતતા લાવવાની ખુબ જરૂરિયાત છે.

0 Comments

૧૦૦+ની ક્લબ!

10/9/2013

0 Comments

 
Pictureછાપામાં આપેલ ચિત્ર જોવા માટે ક્લીક કરો
૧૦૦ વર્ષની ઉમર સુધીં પહોંચનારા, સેન્ચુરી કરનાર વ્યક્તિઓની સંખ્યા વધી રહી છે. ઇકોનોમિક ટાઇમ્સ માં આવેલ આ કાર્ટૂનમાં જુદા જુદા રાજ્યોમાં ૧૦૦ વર્ષના અને તેથી વધારે ઉમર સુધી પહોંચનારા ની સંખ્યા બતાવી છે. જયારે ઉત્તર પ્રદેશમાં એક લાખ લોકો દીઠ ૯૯ વ્યક્તિ ૧૦૦+ વર્ષની છે, ગુજરાતમાં ૪૪ વ્યક્તિ છે.

આપણો સમાજ બદલાય રહ્યો છે. વૃદ્ધ જણો ની માત્રા વધી રહી છે. આ સ્થિતિ ને સમજવાની જરૂર છે.



0 Comments

ડિમેન્શિયા થવાની શક્યતા વધારે હોય શકે જો એનીમિયા હોય તો.

8/9/2013

0 Comments

 
એનીમિયા (પાંડુરોગ) એટલે કે શરીર માં હેમોગ્લોબિન ઓછું હોવું. Red blood cells, લાલ રક્ત કોશિકાઓની માત્રા જરૂર કરતા ઓછી હોવી. અમેરિકન અકાડેમી ઓફ ન્યુરોલોજીના એક સંશોધન પ્રમાણે જે વૃધ્ધોને અનીમિયા હોય તેઓ ને ડીમેન્શિયા હોવાની શક્યતા વધારે છે. ૧૧ વર્ષ ચાલેલા આ સંશોધનમાં ૭૦ થી ૭૫ વર્ષહતની ઉંમર વાળી ૨૫૫૨ વ્યક્તિનો સમાવેશ કરવામાં આવ્યો. આ દરમિયાન તેમની યાદશક્તિ અને વિચારશક્તિ ની તપાસ થતી રહી. સંશોધન શરુ થયું ત્યારે ૩૯૩ ને અનેમીયા હતો. સંશોધન પુરુ થયું ત્યારે ૪૪૫, અથવા ૧૮% ને ડિમેન્શિયા હતો.

જેમને સંશોધન ની શરૂઆતમાં અનેમિયા  હતો તેઓને ડિમેન્શિયા થવાની  ૪૧% શક્યતા હતી. ઉમર, જાતિ ભણતર અને સમુદાયની કોઈ અસર જોવા મળી નહી.

ક્રિસ્ટીન યાફે MD, જેઓ યુનિવર્સીટી ઓફ કાલીફોર્નિયા સાથે સંકળાયેલા છે. તેમને જણાવ્યું કે  ૩૯૩ અનેમિયા વળી વ્યક્તિઓ માંથી ૮૯ જણ, એટલે કે ૨૩% ને ડિમેન્શિયા થયો, તે સરખામણીમાં જેમેને અનેમિયા નહોતો તેવા ૨૧૫૯ વ્યક્તિ માંથી ૩૬૬ જણને એટલે કે ૧૭% ડિમેન્શિયા થયો.

આ સંબંધ, લીન્કેજ, નું કારણ હોય શકે કે અનેમિયા હોવો તે, અસ્વસ્થતા ની એક નિશાની, (marker) હોય શકે. એનીમીયાના કારણે રહેતા ઓછા ઓક્સીજનની માત્રા પણ ડિમેન્શિયાનું કારણ હોય શકે.

આગળ વાંચવા માટે: www.sciencedaily.com,   http://www.neurology.org
0 Comments
Forward>>
    Subscribe to our newsletter

    Author

    દક્ષા ભટ્ટ

    Archives

    September 2019
    August 2019
    September 2018
    December 2017
    May 2017
    May 2016
    November 2015
    August 2015
    July 2015
    October 2014
    February 2014
    September 2013

    Categories

    All
    Dementia
    Memory Loss
    ડિમેન્શિયા
    વડીલો

    Donate now

    Picture

    RSS Feed

Contact us if you need counseling for Dementia. We provide in person counseling in Ahmedabad and online / tele-counseling for other cities.
ડિમેન્શિયા વિષે વધુ જાણવા માટે, અથવા સલાહ માટે અમારો સમ્પર્ક કરો. અમદાવાદમાં વ્યક્તિગત કૌન્સ્લીંગ કરી શકાય છે, અને અન્ય શહેરો માટે ફોન / ઓનલાઈન પણ ઉપલબ્ધ છે.
Contact us at care@varishta.org to learn more or to contribute to the cause.

Varishta is an initiative by Silversmile Eldercare Foundation, a not for profit company registered u/s 8 of the Companies Act 2013, created to spread awareness about dementia in the elderly caused by Alzheimer's and other diseases and  provide support for elders with dementia and their caregivers. Varishta provides information about dementia in Gujarati, and provides counseling and training about dementia in Ahmedabad, Gujarat.

Information provided by this site is intended to increase awareness, and is not a substitute for medical advice.
The graphics on the site are created by Daksha Bhat, or used with the permission of their respective owners, or under a creative commons license. Please do not copy or reuse any part of the site. You may contact us at care@varishta.org if you wish to use any content.